ચદ્રબાબુ નાયડું કરી શકે છે આ માંગણી: હવે ભાજપ એકલો નિર્ણય નહીં કરી શકે, જાણો તેને કઈ-કઈ પાર્ટીઓને પૂછીને પાણી પીવું પડશે અનેે શાં માટે?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05062024_075331_Chandrababu 225.webp)
- 05 Jun, 2024
લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને 292 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. બીજેપી પોતાના દમ પર બહુમતીનો આંકડો પણ જીતી શકી નથી. એવામાં કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા માટે બીજેપીએ સહયોગી દળની મદદ લેવી પડશે. આ ગઠબંધન સરકારમાં આંધ્ર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટો ચેહેરો અને વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ સીટ જીતનાર ચદ્રબાબુ નાયડુનું મોટો યોગદાન રહ્યું છે.
નાયડુની ટીડીપીએ 16 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. આ કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ સરકારને સમર્થન આપનારા ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મોટો હિસ્સો માંગી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ કહેવાઈ રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા સ્પીકર પદને લઈને રહેશે. તો ચાલો જાણીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ક્યાં મંત્રાલયોની માંગ કરી શકે છે, તે અંગે વિગતે જાણીએ.
ટીડીપી કરી શકે છે આ માંગ
1. લોકસભા સ્પીકરનું પદ
2. રોડ-ટ્રાન્સપોર્ટ
3. ગ્રામીણ વિકાસ
4. સ્વાસ્થ્ય
5. આવાસ અને શહેરી મામલાઓ
6. કૃષિ
7. જળ શક્તિ
8. સૂચના અને પ્રસારણ
9. શિક્ષા
10. નાણાં (MOS)
NDAના 5 મોટા સહયોગીઓ
NDAની વાત કરીએ તો ભાજપ પછી સૌથી વધુ સીટો ટીડીપીને મળી છે. ટીડીપીએ 16 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે જેડીયુએ 12 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. શિવસેનાએ 7 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. એલજેપીએ 5 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે જેડીએસએ 2 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.